Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાલિકાના ટેક્સ અધિકારીએ આપી માહિતી
ખંભાળિય તા. ૯: ખંભાળિયા પાલિકા દ્વારા કેટલાક સમયથી ખંભાળિયા શહેરમાં પાલિકા વિસ્તારમાં આવેલા નાગરિકોના મકાનો તથા મિલકતોની માપણી શરૂ કરવામાં આવી છે.
પાલિકા દ્વારા નિયત કરાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા ઘરે ઘરે જઈને લોકોના ઘરની માપણી કરીને કેટલી જગ્યા છે તેના પર કેટલું બાંધકામ છે તેની સાથોસાથ કેટલા નળ કનેક્શનો છે તેની વિગતો સાથે માપણી કરીને સંપૂર્ણ કામગીરી વ્યાપક અને નાગરિકોની વિગતો સાથે પાલિકાને સોંપવામાં આવશે.
પાલિક ટેક્સ અધિકારી કિશોરસિંહ જાડેજાએ જણાવેલ કે આ પછી હાલની સ્થિતિ તથા અગાઉની સ્થિતિની સમીક્ષા કરીને તેમના બાંધકામમાં જે કંઈ ફેરફાર હશે તે બાબતે કાર્યવાહી થશે જેથી આસામીઓની વિગતો પાલિકા રેકોર્ડમાં અપડેટ થશે તથા આ સાથે શહેરમાં ગેરકાયદે નળ કનેક્શનો અંગે વિગતો મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial