Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ દાયકા જુના દુષ્કર્મના કેસમાં સેસન્સ કોર્ટ દ્વારા આરોપીનો છૂટકારો

એલ.એ.ડી.સી. તરફથી વકીલ અપાયા હતાં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: ત્રણ દાયકા જુના એક કેસમાં સેસન્સ કોર્ટે દુષ્કર્મના આરોપીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતાં. આરોપીને સરકારી ખર્ચે એલ.એ.ડી.સી. તરફથી વકીલ ફાળવાયા હતાં.

જામનગરના બાલાહનુમાન પાસેથી એક બાળાને તા. ૧૪ મી મે ૧૯૯૬ ના લલચાવી-ફોસલાવીને રિક્ષામાં કાલાવડના નાકે લઈ જઈને ત્યાંથી ટ્રકમાં ધોરાજી લઈ ગયા પછી રાજ્યના જુદા જુદા સ્થળે તથા મુંબઈ લઈ જઈને તેણીની ઈચ્છા વિરૂદ્ધ અવારનવાર બળાત્કારના આરોપમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીને અમદાવાદ દરિયાપુરથી ઝડપી લેવાયો હતો. તે પછી જામનગરના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ મૂકાયા પછી આ કેસ સેસન્સ કમિટ થયો હતો.

તે પછી તબક્કાવાર થયેલી સુનાવણી દરમિયાન સાહેદોની મૌખિક જુબાનીઓ રજૂ થઈ હતી, અને ૧૭ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતાં.

આ દાયકાઓ જુના કેસમાં આરોપી હાજર નહીં થતા હોવાથી કાનૂની કાર્યવાહી શરૂ થયા પછી અને ફરિયાદ પક્ષે તથા આરોપી પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપો નિશંકપણે પૂરવાર થતા નહીં હોવાનું જણાવી જામનગર એડિશ્નલ સેસન્સ જજ વી.પી. અગ્રવાલે આરોપીને પુરાવના અભાવે શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આરોપી તરફથી એલએડીસીએ ફાળવેલ વકીલ મનિષભાઈ સોમૈયાની દલીલો પછી ત્રીસ વર્ષ જુના કેસમાં આરોપી નરેશકુમાર લક્ષ્મણભાઈનો છૂટકારો થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh