Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હેમ તિલક વિજયજી મહારાજ તથા કેબિનેટમંત્રી જોડાયાઃ
ખંભાળિયા તા. ૯: હેમ તિલક વિજયજી મહારાજ તથા રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ખંભાળિયાના ગોઈંજ ગામે નેમિનાથ જિનાલયનો ૬૮ મો ધ્વજારોહણ પ્રસંગ ઉજવાયો હતો.
તાજેતરમાં ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે નેમિનાથ જિનાલયનો ૬૮ મો ધ્વજારોહણ પ્રસંગે ભવ્ય રીતે ઉઝવાયો હતો.
જૈન મૂનિ પ.પૂ. પન્યાસ દ્વાર શ્રી હેમ તિલક વિજયજી મહારાજ સાહેબ તથા અન્ય જૈન મૂનિઓ તથા ગુરુભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં દાતા પરિવાર માતુશ્રી રતનબેન મુળજી ગોસર વોરા પરિવાર તથા માતુશ્રી શાંતાબેન અમૃતલાલ વોરા પરિવાર જોડાયા હતાં.
આ કાર્યક્રમમાં રાજ્યના વન અને પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, પૂર્વ તા.પં. ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ નકુમ વિગેરે જોડાયા હતાં તથા સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ શુભેચ્છા મોકલી હતી.
આ કાર્યક્રમમાં બોલતા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા દ્વારા ગોઈંજ તથા આસપાસના વિસ્તારના પાણીના પ્રશ્ને સરકાર દ્વારા ખાસ આયોજન થયાનું જણાવીને આ વિસ્તારના કોઈપણ કાર્ય માટે હંમેશાં તત્પરતા રાખવાની ખાતરી આપી હતી તથા રાજ્ય-કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓ વિષે વાતો કરી હતી. ગોઈંજ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભઈ તથા સદસ્યો, ગોઈંજ જૈન સંઘ તથા ગોઈંજ મિત્ર મંડળ મુંબઈ દ્વારા આમંત્રિતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ખંભાળિયા, જામનગર, મુંબઈ તથા વિદેશથી પણ જૈન લોકો
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial