Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા પાંચ દિવસમાં તાપમાન ૩.પ ડીગ્રી ઘટ્યું:
જામનગર તા. ૯: જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ૩.પ ડીગ્રી સુધી નીચે શરકીને ૩પ.૧ ડીગ્રીએ નોંધાયું હતું, જેના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
જામનગરમાં વેગીલા વાયરાઓ વચ્ચે હાલ તાપમાનમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો મહત્તમ તાપમાનનો પારો ધીમે ધીમે ૩.પ ડીગ્રી સુધી નીચે શરકીને ૩પ.૧ ડીગ્રીએ પહોંચી ગયો હતો. મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે બપોરે અનુભવાતા આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ કોઈ વધારા કે ઘટાડા વગર ૭ર ટકાએ સ્થિર રહ્યું હતું. ભેજના વધુ પ્રમાણના પગલે ખાસ કરીને બપોરે વધારે બફારો અનુભવાયો હતો.
જામનગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial