Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માહિતી આપનાર વ્યક્તિની ઓળખ સુરક્ષિત રખાશેઃ
જામનગર તા. ર૧: જામનગર શહેર અને જિલ્લામાં કોઈપણ ગુંડા તત્ત્વો નાગરિકોને પરેશાન કરતા હોય તો જામનગર શહેર-જિલ્લાના કોઈપણ નાગરિકે વિના સંકોચે જામનગરના પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પ્રજાજનોને અનુરોધ કરાયો છે.
જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા આપવાની સાથે અનુરોધ કરાયો છે કે નાગરિકોએ પોતાના રહેણાંક વિસ્તાર, આપના વ્યવસાય/નોકરીના સ્થળની આજુબાજું કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ લુખ્ખાગીરી કરનારા, ભય ફેલાવનારા કે અન્ય કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય કરનારા અસામાજિક તત્ત્વોની રંજાડ હોય તો આવા તત્ત્વો વિરૂદ્ધ પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.
આથી જિલ્લાની તમામ જાહેર જનતાને આવી ગુંડાગીરી અને અસામાજિક તત્ત્વો બાબતેની કઈપણ જાણકારી હોય તો વિના સંકોચે ભય મુક્ત બનીને પોલીસને જાણ કરી શકે છે.
આવી કોઈપણ જાણકારી અથવા ફરિયાદ હોય તો જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબરઃ (૦ર૮૮) રપપ૦ર૦૦ તેમજ જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર ૬૩પ૯૬ ર૭૮૦૦ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
જામનગર શહેર-જિલ્લાના કોઈપણ નાગરિકો આવા અસામાજિક તત્ત્વોના નામ, સરનામું કે અન્ય માહિતી વગેરે પોલીસને મોકલી શકે છે, જે માહિતી શેર કરનાર વ્યક્તિની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial