Advertisement
Author: નોબત સમાચાર

રણજીતનગરમાં વોલ્ટેજ વધઘટ અને પાવર બંધથી લોકોના ઉપકરણોને નુકસાન

નુકસાનનો સર્વે કરાવી વળતર આપવા માંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરમાં રણજીતનગર ડી-૧૪માં રહેતા અજય દોઢિયાએ તા. ૨૨-૬ ના દિને વીજ પાવરના વોલ્ટેજમાં ભારે વધઘટ થવાથી ધડાકા સાથે વીજપૂરવઠો બંધ થઈ ગયો હતો અને તેમના તથા આસપાસના રહેવાસીઓના ઘરમાં ટીવી, ફ્રિજ જેવા ઈલે.  ઉપકરણો બળી ગયા હતા. અને ભારે નુકસાન થયું હોવાનું એક રજૂઆતમાં જણાવ્યું છે. સબ ડિવિઝનમાં ફોન કર્યા, પણ ફોન રીસીવ કરાયા ન હતા, આથી રૂબરૂ સબ ડિવિઝનમાં ગયા અને ફરિયાદ લખાવી હતી. (ફરિયાદ નં. ૫૮૨૪૮)

જો કે, ત્યાર પછી બે-ત્રણ વખત વીજ પાવર ખોરવાયા પછી વીજપૂરવઠો પૂર્વવત થયો હતો. ઉપકરણોને થયેલ નુકસાનનું સર્વે કરાવી વળતર આપવા તેમણે માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh