Advertisement
Author: નોબત સમાચાર

પંથકમાં યુવાન પર હુમલો કરવાના ગુન્હામાં બે આરોપીના જામીન

પૈસાની ચૂકવણી બાબતે થયો હતો હલ્લોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: કાલાવડના ગ્રામ્ય પંથકમાં દોઢ મહિના પહેલાં એક યુવાન પર હુમલો કરવાના ગુન્હામાં પકડાયેલા બે આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

કાલાવડ પંથકમાં વસવાટ કરતા રવજીભાઈ દેવાયતભાઈ ખાંડેકા નામના યુવાન ગયા મહિને પોતાના ખેતરે હતા ત્યારે ચિરાગ મકવાણા, કૌશિક વરણ નામના બે શખ્સ આવ્યા હતા. આ શખ્સોએ આનંદ પ્રમોદ માટે વાત કર્યા પછી એક મહિલાને પૈસાની ચૂકવણી બાબતે બોલાચાલી કર્યા પછી રવજીભાઈ પર હુમલો કર્યાે હતો.

આ શખ્સોએ માથામાં નળીયું ઝીંકી દીધુ હતું. હોસ્પિટલ ખસેડાયેલા રવજીભાઈએ ફરિયાદ કરતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તે અરજી મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, પ્રકાશ ચંદ્રપાલ, જે.ડી. ગણાત્રા, પાર્થ બગડા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh