Advertisement
Author: નોબત સમાચાર

એર ઈન્ડિયાની મુંબઈ-ન્યૂયોર્ક ફલાઈટ રદ થતા જામનગરના મુસાફરો સહિત અનેક રઝળ્યા

ઈરાન-ઈઝરાયલ યુદ્ધને પગલે એર સ્પેસ પ્રભાવિતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: ઇરાન - ઇઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને પગલે મિડલ ઇસ્ટની એર સ્પેસ પ્રભાવિત થતા વિશ્વભરનો એર ટ્રાફિક પ્રભાવિત થયો છે જેને પગલે વિવિધ એર લાઇન્સની અનેક ફ્લાઇટ રદ થઇ છે તથા કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે.જેનાં પગલે હવાઇ મુસાફરી કરનારા વિશ્વનાં લાખો લોકો હાલાકી ભોગવી રહૃાા છે.

ગત રાત્રે એર ઇન્ડિયાની મુંબઇ - ન્યૂયોર્ક ફ્લાઇટ કેન્સલ થતા તેમાં પ્રવાસ માટે બુકીંગ કરાવનાર જામનગરનાં પેસેન્જર સહિત સૈંકડો મુસાફર રઝળી પડ્યા હતાં.

એર ઇન્ડીયા ઉપરાંત ઇન્ડીગો સહિતની એરલાઇન્સ દ્વારા મિડલ ઇસ્ટની એર સ્પેસ પ્રભાવિત થવાનાં કારણે મુસાફરોને પડી રહેલ મુશ્કેલીઓ અંગે દિલગીરી વ્યક્ત કરી પોતાનાં એક્સ હેન્ડલ પર અપડેટ પોસ્ટ કરવાની ફરજ પડી રહી છે.

ઇરાન - ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા પછી પણ યુદ્ધની સ્થિતિનાં અહેવાલો વહેતા થઇ રહૃાા છે જેને પગલે એર સ્પેસ પ્રભાવિત રહેવાથી આગામી સમયમાં પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને લઇને અનિશ્ચિતતાઓ યથાવત રહેશે તેવી સંભાવનાઓ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh