Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જાયન્ટસના તમામ ગ્રુપના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયોઃ ૮૯ બોટલ રક્ત એકત્ર

વિશ્વ રક્તદાન દિન નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિરની સામે વિશ્વ રક્તદાન દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જાયન્ટસના તમામ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે તથા વોલન્ટરી બ્લડબેંકના સંચાલક અને જાયન્ટસ ફેડરેશન ઓફિસર એ.ડી.જાડેજાના નેજા હેઠળ આયોજીત આ કેમ્પમાં ૮૯ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એ.ડી.જાડેજા ૧૨૪ વખત રક્તદાન કરી ચૂક્યાં છે તેમજ ૧૦૦૦થી વધુ કેમ્પો પણ યોજ્યાં છે. આ કેમ્પ દરમ્યાન તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે ફેડરેશન પ્રમુખ, મુકેશભાઈ પાઠક, ફેડરેશન સેક્રેટરી જયેશભાઈ ગોપીયાણી, ઉપપ્રમુખ દુષ્યંતભાઈ પંડયા, યુનિટ ડાયરેક્ટર ઉપેનભાઈ વ્યાસ, તમામ ફેડરેશનના અધિકારીઓ, તમામ ગ્રુપના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh