Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૪૦ વર્ષથી દાતાઓના સહયોગથી કાર્યરત કેન્દ્ર
ખંભાળીયા તા. ૨૪: ખંભાળીયામાં ગોવર્ધનનાથજીની હવેલીમાં વૈષ્ણવ પરિષદ ખંભાળીયા દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી સતત નિઃશુલ્ક છાસ કેન્દ્ર દાતાઓના સહયોગથી ચાલતું હોય, જેનો લાભ ગરીબ, મધ્યમવર્ગના લોકો રોજ મોટી સંખ્યામાં મેળવતા હોય, સેવા કાર્યમાં ટ્રસ્ટીઓ અરૂણભાઈ બરછા, હિતેનભાઈ દત્તાણી, હસુભાઈ ભટ્ટ, હસુભાઈ ખગ્રામ, મનોજભાઈ ગઢવી વગેરે સેવા આપતા હોય, ખંભાળીયાના અગ્રણીઓએ છાસ કેન્દ્રની મુલાકાત લઈને સેવાભાવી અગ્રણીઓને આ સેવા કાર્ય માટે સન્માનીત કર્યા હતા.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, હસુભાઈ ધોળકીયા, પાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, પરબતભાઈ ગઢવી, ભીખુભાઈ જેઠવા, અશોકભાઈ કાનાણી, કે.ડી. જોડ, ભાર્ગવભાઈ ઘઘડા, વિજયાબેન, નિતિનભાઈ વગેરે હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial