Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે બે મહિના માટે રસ્તો બંધ કરાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામ્યુકોની હદમાં આવતા જામનગર-કાલાવડ માર્ગ પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી.પી. રોડથી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. જેના અનુસંધાને આ માર્ગ પરના ડિવાઈડરની પૂર્વ દિશા તરફનો રસ્તો તા. ૨૩-૬ થી તા. ૨૨-૮ સુધી તમામ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે આ માર્ગ પર ડિવાઈડરથી પશ્ચિમ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખૂલ્લો રહેશે. કમિશ્નર ડી.એન.મોદી દ્વારા બહાર પડાયેલી આ જાહેર નોટિસનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh