Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવઃ
જામનગર તા. ૨૪: રાજ્યમાં શાળાએ જવાપાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ૨૩મી કડી તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન યોજાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ૨૦૦૨-૦૩માં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આ વર્ષે ૨૩મો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવની થીમ સાથે ઉજવવામાં આવશે.
જામનગર જીલ્લામાં તા.૨૬ જુનથી યોજાનાર શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ કુલ ૪૫ રૂટ પર યોજવામાં આવશે. જામનગર જિલ્લામાં આંગણવાડીમાં કુલ ૪૩૦૭, બાલવાટિકામાં ૭૩૩૬, ધો.૧માં ૮૭૫૨ અને ધો.૯માં ૪૮૦૦ બાળકો મળી કુલ ૨૫,૧૯૫ બાળકો પ્રવેશ મેળવશે. ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial