Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ અમદાવાદના બદલે સાબરમતી સ્ટોપેજ

આગામી તા. ૫ જુલાઈથી

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૨૪: પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ જંક્શન સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્ય માટે પ્લેટફોર્મ નંબર ૮ પર બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ સ્ટેશન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશનનો સ્ટોપેજ ૭૦ દિવસ માટે અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યો છે.

ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૦૫-૦૭-૨૦૨૫ થી ૧૨-૦૯-૨૦૨૫ સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર કુલ ૧૦ મિનિટ ઊભી રહેશે. આ ટ્રેનનો સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો બદલાયેલો સમય અનુક્રમે ૦૬:૪૮/૦૬:૫૮ કલાકે રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh