Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તાપમાન ૧ ડિગ્રી ઘટયું: મહત્તમ ૩૨ ડિગ્રી

૧૦ ટકાના ઘટાડા સાથે ભેજનું પ્રમાણ ૮૪ ટકાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરમાં મેઘાવી માહોલ અને તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન ૧ ડિગ્રીના ઘટાડા સાથે ૩૨ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦ ટકા ઘટીને ૮૪ ટકા રહ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ૬ દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે સાચી પણ પડી રહી છે. ગુજરાતના ઘણાં ભાગોમાં મુશળધાર વરસાદ પડયો છે.

જામનગરમાં ગઈકાલે પણ સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો. પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ૪૦થી ૪૫ કિ.મી.ની રહેવા પામી હતી. વરસાદી વાતાવરણ અને ઝપાટાબંધ રીતે ફુંકાતા ગતિમાન પવનના કારણે સમગ્ર દિવસ દરમિયાન ઠંડક રહેવા પામી હતી.

જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૧ ડિગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી જયારે બે ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૨૮.૨ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦ ટકા ઘટીને ૮૪ ટકા રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh