Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુષ્કર્મના ગુન્હામાં આરોપીનો છૂટકારોઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક શખ્સ સામે મોરબી પંથકની મહિલાએ લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ઠરાવ્યું છે કે, ભોગ બનનાર જ્યારે જાણતા હોય કે આરોપી પરિણીત છે તો લગ્નની લાલચે દુષ્કર્મ થયાનું માની શકાય નહીં. આ કેસમાં આરોપીનો છૂટકારો થયો છે.
મોરબી પંથકમાં વસવાટ કરતા એક મહિલાએ પોતાના કૌટુંબિક જમાઈ દીપક ચંદુભાઈ સાગઠીયા સામે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં જે તે વખતે ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ એક પ્રસંગમાં આ મહિલા તથા દીપક વચ્ચે મુલાકાત થયા પછી દીપકે તેણીને ધ્રોલથી લાલપુર લઈ જઈ અવારનવાર ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને વાત ન કરવાનું કહી ધમકી આપી હતી.
ઉપરોક્ત ગુન્હા પરથી પોલીસે આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કર્યું હતું. તે કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા બચાવપક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદી મહિલા જાણતા હતા કે આરોપી પહેલેથી જ પરિણીત છે, ત્યારે પરિણીત પુરૂષની સાથે લગ્નની લાલચે શરીરસંબંધ બાંધ્યા પછી તે મહિલા બળજબરી કર્યાની ફરિયાદ કરે તો તે સ્ટોરી માની શકાય નહી. તે ઉપરાંત ગેસ્ટ હાઉસમાં બે રાત્રિ સુધી આ મહિલા રોકાયા છે અને આરોપી સાથે રેસ્ટોરન્ટમાં જમવા પણ ગયા છે ત્યારે આ સ્ટોરી ગળે ઉતરે તેમ નથી.
ઉપરોક્ત દલીલ આરોપી પક્ષના વકીલ કિરણભાઈ બગડા, જે.ડી. ગણાત્રા, પાર્થ બગડાએ કરી હતી. તેના અનુસંધાને અદાલતે ઠરાવ્યું છે કે, મહિલા પ્રથમથી જ જાણતા હતા કે આરોપી પરિણીત છે ત્યારે લગ્નની લાલચે દુષ્કર્મ ગુજાર્યાનું માની શકાય નહીં. તેથી આરોપી દીપક ચંદુભાઈનો છૂટકારો ફરમાવવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial