Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુખ અને દુઃખની પીડા ક્ષણભંગુર છે !!
જામનગર તા. રપઃ જામનગરમાં આજથી ગુજરાતનો ખેલ મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. જેનો ઉદ્દઘાટન સમારોહ મનપા પરિસરમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલમાં યોજાયો હતો. આ સમારોહમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી અને અન્ય મહાનુભાવો તેમજ રમતવીરો, સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતાં.
જમ્મુ કાશ્મિરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ર૬ હિન્દુઓની ક્રુર હત્યાની ઘટના અંગે ઉદ્દઘાટન સમારોહના પ્રારંભે મૃતકોને સૌ ઉપસ્થિતોએ મૌન પાળી ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ખેલ મહાકુંભની સ્પર્ધાઓનો આરંભ કરવામાં આવ્યો હતો.
'શો મસ્ટ ગો ઓન'ના સુત્રને ધ્યાને રાખીને આ રમતોત્સવ ચાલુ થયો... પણ સુખ અને દુઃખની પીડા ક્ષણ ભંગુર જ હોય છે તેવી ઉક્તિની સાર્થકતા પણ અહીં જોવા મળી...! જે સ્થળે થોડી જ ક્ષણો પહેલાં ખૂબ જ ગમગીન અને ગંભીર તથા શોકમગ્ન માહોલમાં પહેલગામના મૃતકોને શ્રધ્ધાંજલિ આપનારા મહિલા નેતાઓએ (ખડખડાટ) હાસ્યની મુદ્રામાં તલવારબાજીની ઝલક સાથે આ સ્પર્ધાનો આરંભ કરાવ્યો... નવાઈની વાત તો એ છે કે ત્યાં ઉપસ્થિત લોકોએ પણ તેમને હસતા હસતા તાળીઓથી વધાવ્યા...!
ખેર...! ખેલ મહાકુંભનું આયોજન મુલત્વી ન જ રહી શકે... પણ જે સ્થળે મિનિટો પહેલાં જ દેશની ગમખ્વાર ઘટના અંગે શોક વ્યક્ત થાય, મૃતકોને સન્નમાન પૂર્વ શ્રધ્ધાંજલિ અર્પણ કરાય, તે જ સ્થળે ક્ષણો પહેલાની ગમગીની ભૂલીને હાસ્યની છોળો વચ્ચે રમતનું પ્રદર્શન કરવું ઉચિત તો ન જ ગણાય..!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial