Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગાંધીનગરની સોસાયટીની ઈ-લાઈનમાં પાણી પુરવઠો આપવા માંગણી

સોસા. દ્વારા કમિશનરને રજૂઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગરમાં ગાંધીનગર કો.ઓપ.હા. સોસા. લિ. નવા રેલવે સ્ટેશન પાસે લાઈન-ઈ માં છેલ્લા દોઢ વર્ષથી પાણી આવતું નથી.

સોસા.ના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર અને મંત્રી હિતેન્દ્રસિંહ જાડેજાએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, સોસાયટીની ઈ-લાઈનમાં પાણી આવતું નથી. જે અંગે અસંખ્ય વખત રજૂઆત કરવામાં આવી છતાં નિરાકરણ લાવવામાં આવતું નથી. આથી ત્વરિત ઉકેલ લાવવો જોઈએ.

ઘરમાં બોર છે, પરંતુ ચાલુ વર્ષ વરસાદ અપૂરતો થયો હોવાથી હાલમાં પાણી ઊંડા ઉતર્યા છે અને ખારૂ પાણી આવે છે. માટે નળ વાટે સત્વરે પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh