Advertisement
Author: નોબત સમાચાર

આમ આદમી પાર્ટી દ્વારા સરકારની દારૂબંધીના અમલમાં નિષ્ફળતાનો આક્રોશ

ભાવનગરના લઠ્ઠાકાંડ સંદર્ભે

                                                                                                                                                                                                      

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી દસથી વધુ વ્યક્તિઓના થયેલ મોત અંગે આમ આદમી પાર્ટીએ ખંભાળિયામાં પત્રકાર પરિષદ યોજી સરકારની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ઈમ્તિયાઝ ગજણ, અગ્રણી રામશીભાઈ ભાટિયા, દીપકભાઈ પાબારી દ્વારા ગુજરાત સરકાર અને ગૃહ વિભાગની નિષ્ફળતા સામે સવાલો ઊઠાવાયા હતાં. નકલી દારૂથી મૃત્યુને હત્યાકાંડ તરીકે જોવા અને દારૂબંધી છતા નકલી દારૂનું થતું વેંચાણ, બૂટલેગરો સામે સરકારની ઢીલી નીતિ હોય, ગૃહમંત્રાલયે ઉચ્ચ અધિકારી અને મંત્રીઓની પણ જવાબદારી નક્કી કરવા તથા તાકીદે રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે મુખ્યમંત્રીએ તેમને પદ પરથી દૂર કરવા માંગણી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh