Advertisement
Author: નોબત સમાચાર

પૈસાની ઉઘરાણી મામલે નગરમાં વૃદ્ધની ગળામાં છરીનો ઘા ઝીંકી કરપીણ હત્યા

મૃતકના ભાભીએ પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તાર પાછળ આવેલા માલુભાના ચોક નજીક સુભાષપરામાં રહેતા એક વૃદ્ધ પર ગઈકાલે સાંજે એક શખ્સે છરીથી હુમલો કરી તેઓની હત્યા નિપજાવી હતી. હુમલાખોરે બાકી પૈસાની ઉઘરાણી કરતા અને વૃદ્ધે પૈસા આપવાની ના પાડતા હત્યા થયાનું બહાર આવ્યું છે. પોલીસે હુમલાખોરના સગડ દબાવ્યા છે.

જામનગરના ૪પ-દિગ્વિજય પ્લોટ નજીક આવેલા સુભાષપરામાં માલુભાના ચોક પાસે વસવાટ કરતા ચંદ્રસિંહ મેરૂજી રાઠોડ નામના સાંઈઠેક વર્ષના વૃદ્ધ પર ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે શંકરટેકરીમાં રહેતા હુસેન ઈસ્માઈલ સંધી નામના શખ્સે છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા ગળામાં ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી લક્ષ્મીબેન લખુભા ચૌહાણની ફરિયાદ પરથી હુસેન ઈસ્માઈલ સંધી સામે બીએનએસની કલમ ૧૦૩ (૧), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હત્યાના પ્રાથમિક તબક્કે બહાર આવેલા કારણ મુજબ હુસેન સંધીએ કેટલીક રકમ ચંદ્રસિંહને હાથઉછીની આપી હતી. તેની ઉઘરાણી કરતા ચંદ્રસિંહે પૈસા આપવાની ના પાડી દીધી હતી. આ મુદ્દે વિખવાદ થયા પછી ગઈકાલે સાંજે જ્યારે ચંદ્રસિંહ પોતાના ઘરમાં હતા ત્યારે તેમના પર હુસેને છરીથી હુમલો કરી ઢીમ ઢાળી દીધુ હતું. પોલીસે આરોપીના સગડ દબાવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh