Advertisement
Author: નોબત સમાચાર

સગા ભત્રીજાની હત્યાના કેસમાં આરોપીઓની મુક્તિ

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં બે કાકાએ ધંધામાં મદદ નહીં કરતા ભત્રીજાને ધોકો ફટકારી તેની હત્યા નિપજાવ્યાના નોંધાયેલા કેસમાં બન્ને કાકાનો અદાલતે છુટકારો ફરમાવ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં રહેતા અને ફળનો વ્યાપાર કરતા વિક્રમસિંહ નારુભા તથા દોલભા નારુભા રાઠોડ સાથે તેમનો ભત્રીજો મહાવીરસિંહ ભાવેશસિંહ રાઠોડ પણ રહેતા હતાં.

બંને કાકાએ ભત્રીજા મહાવીરસિંહને ધંધામાં મદદ કરવા અવારનવાર કહ્યું હતું તેમ છતાં ભત્રીજો માનતો ન હોય ગુસ્સે ભરાયેલા કાકાઓએ ગઈ તા. ૧૩/૫/ ૨૦૧૯ના દિવસે ધોકા વડે હુમલો કરી મહાવીરસિંહને માર મારતા માથામાં ગંભીર પામેલા આ યુવાનનું મૃત્યુ થયું હતુ.ં આ બાબતની મૃતકના માતા ગુલાબબા રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી બંને આરોપીનો છુટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ ધવલ વજાણી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh