Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહીલોહાણ સાળાને દવાખાને ખસેડાયોઃ
જામનગર તા.૧૪ ઃ જામનગરમાં એક યુવાન પર તેના સગા બનેવી સહિત ત્રણ શખ્સે છરી વડે હુમલો કર્યાે હતો. છૂટાછેડાની માંગણી કરતા બનેવીએ સાળાને હાથ તથા પગમાં છરી હુલાવી દીધી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં વસવાટ કરતા કરણ વિજયભાઈ પરમાર નામના કોળી યુવાન રવિવારે રાત્રે જી.જી. હોસ્પિટલ પાસે એક હોટલની સામે ઉભા હતા ત્યારે ત્યાં આવેલા રોહિત શિંગાળા, નીતિન શિંગાળા તથા સન્ની નામના ત્રણ શખ્સે ઢીકાપાટુ વડે માર મારવા ઉપરાંત રોહિતે પોતાની પાસે રહેલી છરીના બે ઘા ઝીંક્યા હતા.
લોહીલોહાણ બની ગયેલા કરણને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તેની બહેનના લગ્ન રોહિત શિંગાળા સાથે થયા છે. તે પછી પત્ની પાસેથી અવારનવાર છૂટાછેડાની માંગણી કરતા રોહિતે રવિવારે રાત્રે હોસ્પિટલ સામે મળી ગયેલા સાળા કરણને કહ્યું હતું કે, તારી બહેનને કહે કે મને છૂટાછેડા આપે. તેની સામે કરણે છૂટાછેડા આપવા જ નથી તેમ કહેતા ઉશ્કેરાયેલા રોહિત અને તેની સાથેના બે શખ્સે હુમલો કર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag