Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખર્ચની રકમ પણ ફોરમે કરી મંજૂરઃ
જામનગર તા.૧૪ ઃ એક વીમા કંપની સામે મોટરને નડેલા અકસ્માત અને તેમાં થયેલી નુકસાની અંગે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ફોરમે મંજૂર રાખી વ્યાજ સાથે વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહેવાસી જેસાભાઈ જુઠાભાઈ આંબલીયાએ પોતાની મોટર માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યો હતો. તે પછી જુનાગઢ તરફથી આવી રહેલા જેસાભાઈ માર્ગમાં એક ગાયને બચાવવા જતાં તેઓની મોટર પુલ સાથે અથડાઈને પલ્ટી મારી ગઈ હતી. જેમાં મોટરને ખૂબ જ નુકસાન થયું હતું.
ત્યારપછી ટોટલ લોસ થયેલી મોટર અંગે જેસાભાઈએ વીમા કંપની સમક્ષ કલેઈમ કરતા વીમા કંપનીએ આ મોટર અન્યને વેચી નાખવામાં આવી છે, તેથી જેસાભાઈ કંપનીના ગ્રાહક નથી તેમ જણાવી કલેઈમ રદ્દ કર્યાે હતો. આથી જેસાભાઈએ વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.
તે ફરિયાદ ચાલવા પર આવતા વીમા કંપનીએ સર્વેયર દ્વારા રજૂ કરાયેલો રિપોર્ટ અને ઈન્વેસ્ટિગેટરનો રિપોર્ટ રજૂ કરી તે મોટર વેચી નાખવામાં આવી છે તેમ સાબિત કરવાનો પ્રયાસ કર્યાે હતો. તેની સામે ફરિયાદીના વકીલે સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ રજૂ કરી દલીલો કરતા ફોરમે વળતરપેટે રૃા. ૬, ૬૮, ૨૫૦ની રકમ છ ટકાના વાર્ષિક વ્યાજ સાથે તેમજ ખર્ચપેટે રૃા.૮ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag