Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર લોહાણા સમાજ દ્વારા આજે રાત્રે મીટીંગ
જામનગર તા.૧૪ઃ સૌરાષ્ટ્રના વેરાવળમાં વર્ષોથી ડોકટર તરીકે પ્રેકટીસ કરતાં નામાંકિત અને સેવાભાવી ડોકટર અતુલ ચગે આત્મહત્યા કરતાં આ બનાવ પાછળ વિવિધ વ્યક્તિઓની સંડોવણી હોવાનું બહાર આવતાં સમગ્ર સૌરાષ્ટ્રનાં લોહાણા સમાજમાં રોષની લાગણી પ્રર્વતી રહેલ છે, અને સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.
ડોકટર અતુલ ચગ સૌરાષ્ટ્રના નામાંકિત હાર્ટ સ્પેશ્યાલીસ્ટ અને ગરીબો માટે ભગવાન સમાન હતાં. કોરોના કાળમાં પણ ડોકટર ચગે હજારો દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરીને પોતાનો માનવ ધર્મ નિભાવ્યો હતો. ડો.ચગ સમગ્ર ગીર પંથકમાં લોકપ્રિય હતાં.
આ ઘટના બનતાં સમગ્ર સૌરાષ્ટ્રનો લોહાણા સમાજ રોષે ભરાયેલ છે. જામનગર લોહાણા સમાજ દ્વારા પણ આ બાબતે જવાબદાર સામે કડક હાથે કાનુની કાર્યવાહી કરી તેઓની ધરપકડ કરવા માટેની રજુઆત કરવા આજરોજ તા.૧૪/૦ર/ર૦ર૩ ને મંગળવારના રાત્રે ૯-૦૦ કલાકે શેખર માધવાણી હોલ, વિભાજી હાઇસ્કૂલ સામે જામનગરમાં લોહાણા સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં જામનગર શહેરના લોહાણા સમાજ તેમજ સમાજની વિવિધ સંસ્થાઓ, સંગઠનો, યુવક મંડળો, મહિલા મંડળોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત થવા જામનગર લોહાણા મહાજન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag