Advertisement
Author: નોબત સમાચાર

ગિર સોમનાથના ડો. અતુલ ચગની આત્મહત્યા સંદર્ભે ગહન તપાસની માંગણી કરતા સાંસદ પરિમલભાઈ નથવાણી

અત્યંત દુઃખ વ્યક્ત કરી પરિવારને પાઠવી સાંત્વનાઃ

જામનગર તા. ૧૪ઃ ગિરસોમનાથના લોકપ્રિય તબીબ ડો. અતુલ ચગના પરિવારને સાંત્વના પાઠવતા સાંસદ પરિમલ નથવાણીએ આત્મહત્યાના આ કેસની ગહન તપાસ કરાવવા ગૃહમંત્રીને રજુઆત કરી છે.

ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાતજનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતાં. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતાં જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરૃ છું કે સદ્ગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે.

સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઈડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરૃ છું અને ગૃહમંત્રીને આ અંગે ખાસ વિનંતી કરૃ છું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh