Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પરિણીતાની આત્મહત્યાના કેસમાં પતિનો જામીન પર થયો છૂટકારો

અગાઉ સાસુ, નણંદ, સસરા થયા હતા જામીનમુક્તઃ

જામનગર તા.૧૪ ઃ જામનગરની એક ભાનુશાળી પરિણીતાની આત્મહત્યાના કેસમાં જેલહવાલે રહેલા પતિને અદાલતે જામીનમુક્ત કરવાનો હુકમ કર્યાે છે. અગાઉ સાસુ, નણંદ તથા સસરાના જામીન મંજૂર થયા હતા.

જામનગરના પવનચક્કી વિસ્તારમાં વસવાટ કરતા સપનાબેન ચિરાગભાઈ નંદા નામના પરિણીતાને ગયા મહિને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમના માતા નીતાબેને પોતાની પુત્રીને પતિ ચિરાગ, સસરા વિમેશભાઈ, સાસુ અને નણંદ દહેજની માંગણી કરી પજવતા હોવાની અને તેના કારણે તેમની પુત્રીએ આત્મહત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ ગુન્હામાં પોલીસે ચારેય આરોપીની ધરપકડ કર્યા પછી જેલહવાલે રહેલા પતિ ચિરાગ નંદાએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. અગાઉ સાસુ, નણંદ તથા સસરાનો જામીન પર છૂટકારો થયો હતો. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh