Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા.૧૪ઃ ખંભાળિયામાં પાંચ હાટડી ચોક પાસે શરણેશ્વર મંદિરથી પાંચ હાટડી જતાં રસ્તા પર મોહનભાઈ મોદીનું જુનું મકાન જર્જરીત હોય તેના ઉપરના માળનો કેટલોક ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો. જોકે સાંજના સમયે આ રસ્તા પર રાહદારીઓ કે વાહનચાલક સદ્ભાગ્યે નહીં હોવાથી કોઈને ઇજા થઈ ન હતી. આ મકાન તૂટી પડયા અંગે આ વિસ્તારના જાગૃત નાગરિકો કૌશલભાઈ સવજાણી તથા બાલુભાઈ રોજેસરાએ પાલિકા તંત્રને જાણ કરતા પાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વિભાગ, ફાયરબ્રીગેડ તથા સેનીટેશન વિભાગને તાકીદે મોકલીને ઇલેક્ટ્રીક વાયરો તુટેલાને વ્યવસ્થિત કરાવીને એક જ કલાકમાં કાટમાળ હટાવીને રસ્તો પૂર્વવત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag