Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા સમાજના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૪ઃ જામનગરની સ્વ. હીરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) ના અધ્યક્ષ સ્થાને માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ યોગવેદાંત સમિતિના સહયોગ દ્વારા યોજવામાં આવ્યો. જેમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ ગોવા શિપિગના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયર અમીબેન પરીખ નેશનલ શિપિંગ બોર્ડના રાહુલભાઈ મોદી, સંસ્થાના ટ્રસ્ટી વજુભાઈ પાબારી, નરેન્દ્રભાઈ કોટેચા એ દિપ પ્રાગટ્ય કર્યુ હતું.
આપણા દેશના સંસ્કાર અને સંસ્કૃતિના વારસાનું જતન થાય તેવા ઉમદા ભાવ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૪૦ દીકરીઓના માતા-પિતા બહારગામ થી હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અંતે સંસ્થાના ટ્રસ્ટીઓના હાથે યોગવેદાંત સમિતિના વિરલભાઈ મોદી, શિલ્પાબેન શ્રી અનુબેન કિશનભાઈ સુભાષભાઈને મોમેન્ટો અર્પણ કરાયો હતો તથા દરેક દીકરીઓને સુરેશચંદ્ર મથુરાદાસ રાડીયા તરફથી રોકડ ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આભારદર્શન તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેડગૃહમાતા ભાવનાબેન પોપટે કર્યું હતુંં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag