Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાબા વેંગાએ સિરિયાના પતન પછી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ જશે, તેવી આગાહી કરી હતી, તેવી જ રીતે નાસ્ત્રેદમસથી લઈને અત્યાર સુધીના ઘણાં ભવિષ્યકારોએ ત્રીજા વિશ્વયુદ્ધની આગાહીઓ કરી છે, અને તેના માટે ભિન્ન-ભિન્ન કારણો આપવામાં આવે છે, અને તેમાં એક કારણ સમાન રહે છે અને તે છે પાણી...
લગભગ તમામ આગાહીકારો અથવા ભવિષ્યવેતાઓ એવું સમાન રીતે માને છે કે, ભવિષ્યમાં શુદ્ધ પાણીની તંગી વધી જશે અને તેને લઈને લોકો વચ્ચે જ નહીં, દુનિયાના કેટલાક દેશો વચ્ચે પણ યુદ્ધો થશે.
ત્રીજા વિશ્વયુદ્ધ માટે મહાસત્તાઓ અથવા શક્તિશાળી દેશો વચ્ચે વર્ચસ્વ અને પ્રતિષ્ઠાનો જંગ, સીમાવિવાદો, દરિયાઈ સીમાઓના વિવાદો, આતંકવાદ અને આર્થિક આધિપત્ય જેવા કારણો વર્ણવાઈ રહ્યાં છે, અને મોટાભાગની ભવિષ્યવાણીઓમાં પાણીના કારણે થનારા યુદ્ધો વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે, અને હવે તે ભવિષ્યવાણીઓ કદાચ સાચી પડી જાય, તેવા સંજોગો પણ ઊભા થવા લાગ્યા છે.
પહલગામ હૂમલા પછી ભારતે સિંધુ જળ સમજૂતિ પાકિસ્તાન આતંકવાદને સીમાપારથી ભારતમાં વકરાવવાનું બંધ ન કરે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાની જે જાહેરાત કરી છે, અને ગઈકાલે મળેલી સર્વપક્ષિય બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ ભારત સરકાર પહલગામ હૂમલા પછી તેના પ્રતિકારમાં આતંકવાદ સામે જે કદમ ઉઠાવે, તેના સમર્થનમાં હોવાની જાહેરાત કરી છે, તે પછી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે, અને પાકિસ્તાનની ખેતી, સિંચાઈ, વીજ ઉત્પાદન તથા પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓને કેટલી છીન્ન-ભિન્ન થઈ શકે છે, તેના અંદાજો મૂકાવા લાગ્યા છે.
જો ભારત ક્રમશઃ સિંધુ જળ સમજૂતિને રદ્દ કરવાની પ્રક્રિયા શરૂ કરે, તો તેને પાકિસ્તાન હળવાશથી લેશે નહીં અને ભારતે પાક. વિરોધી કદમો ઉઠાવ્યા પછી પાકિસ્તાને પણ કેટલીક જાહેરાતો કરી છે અને યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે, તે જોતા તો એવું લાગે છે કે, જળસંધિનો મુદ્દો જ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધારવાની બુનિયાદ બની શકે છે, અને તે પછી લિમિટેડ વોર કે પૂર્ણાકક્ષાના યુદ્ધ માટેના અન્ય કારણોનું સંયોજન થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.
સાથેસાથે ભારત પીઓકે પાછું મેળવવા માટે પણ પ્રયાસ કરી શકે છે, અને તેમ થાય તો ચીનનો કોરિડોર પ્રોજેક્ટ વધુ ઘોચમાં પડે તેમ હોવાથી ચીન જે ખૂલ્લેઆમ પાકિસ્તાનની તરફેણ કરે, તો ભારતના મિત્ર દેશો તથા ચીન વિરોધી દેશો ભારતની તરફેણમાં આવી શકે છે. આતંકવાદના મુદ્દે પણ વિશ્વની મોટાભાગની શક્તિશાળી સત્તાઓ ભારતની તરફેણમાં છે, તેવામાં ચીન બ્રહ્મપુત્રાનું પાણી અટકાવવાની મેલી મુરાદને આગળ વધારીને નદીઓના જળનો જ હથિયાર તરીકે પણ ઉપયોગ કરી શકે છે...
ટ્રમ્પ ટેરિફ વોર અને વિશ્વમાં ચાલી રહેલા નાના-મોટા યુદ્ધોમાં જો ભારતીય ઉપખંડમાં પણ વિવિધ કારણોસર યુદ્ધની સ્થિતિ ઊભી થાય, અને વૈશ્વિક સમીકરણોમાં ઉલટફેર થાય તો દુનિયા વિશ્વયુદ્ધ તરફ ઝડપથી ઢસેડાઈ શકે છે.
નદીઓ તથા સરોવરોના વિવાદો માત્ર ભારતીય ઉપખંડમાં નથી, પણ દુનિયાભરમાં છે. તે ઉપરાંત અખૂટ ખારૂ પાણી ધરાવતો અખૂટ દરિયાઈ સંપદા અને ઋતુચક્રનું કેન્દ્ર એવો દરિયો પણ હમાણાંથી વિશ્વના જુદા-જુદા દેશોના યુદ્ધનું જળમેદાન બની રહ્યો છે, એવામાં દરિયાઈ સરહદો, જળમાર્ગો અને દરિયાઈ સંપત્તિ પણ વિશ્વના જુદા-જુદા દેશોને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial