Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તાલુકાના સિદસરમાં યોજાયેલા સમારોહ પાટીદાર દાતાઓ-અગ્રણીઓનું સન્માનઃ
જામજોધપુર તાલુકાના સિદસર ગામમાં બિરાજ્યા કડવા પાટીદારોના કુળદેવી મા ઉમિયા માતાજીના પ્રાગટ્ય ૧રપ વર્ષની ઉજવણી નિમિત્તે શ્રી સવા શતાબ્દિ મહોત્સવનું આયોજન ઉમિયા ધામમાં કરવામાં આવ્યું છે. જેનો આરંભ રાજકોટના સાંસદ તથા પૂર્વ કેન્દ્રિય મંત્રી પરસોત્તમરૂપાલાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. મહોત્સવના મુખ્ય યજમાન જગદીશભાઈ કોટડિયા તથા પુનિતભાઈ ચોવટિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં પાટીદાર મહાપદય જીવનભાઈ ગોવાણી, મૌલેશભાઈ ઉકાણીનું પણ સન્માન કરાયું હતું. ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા તથા મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. હાઈબોન્ડ વડાલિયા ગ્રુપ દ્વારા સમૃદ્ધિ યોજનામાં રૂ. નવ કરોડનું દાન આપવામં આવ્યું હતું. ઉમિયાધામમાં મહોત્સવની સાથે યજ્ઞ, કૃષિ મેળો, આનંદ મેળો પણ યોજાયા છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો-ગ્રામજનો ઉમટી પડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial