Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીએલઓની કામગીરી દરમિયાન
જામનગર તા. રપઃ જામનગરમાં બીએલઓની કામગીરી દરમિયાન એક મહિલા બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સુધારા ઉપર છે અને ઉચ્ચ અધિકારી દ્વારા તેમની તબિયતની પૂચ્છા કરવામાં આવી હતી.
જામનગરના મસીતીયા વાડી વિસ્તારમાં ફરજ બજાવતા શિક્ષિકા હિરલબેન ત્રિવેદી પોતાની બીએલઓ તરીકેની ફરજમાં સત્યમ કોલોની વિસ્તારમાં હતાં. ત્યારે બેભાન થઈ ગયા હતાં. તુરંત જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.
આ બાબતની જાણ થતા મતદાર નોંધણી અધિકારી સુધિર બારડ હોસ્પિટલ દોડી ગયા હતાં અને બીમાર શિક્ષિકાની તબિયતની પુચ્છા કરી કાળજી લીધી હતી. જોકે તેમની તબિયત સુધારા ઉપર છે તેમ તબીબોએ જણાવ્યું હતું. બીજી તરફ અમુક શિક્ષિકોમાં બીએલઓની સોંપાયેલી કામગીરી સામે નારાજગી ફેલાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial