Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા
ખંભાળીયા તા. ર૫: ખંભાળીયામાં જિલ્લા આરોગ્ય શાખા દ્વારા દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરાયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં આરોગ્યના વિવિધ મુદ્દાઓને સમાવેશ કરતી દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં માતામરણ તથા બાળમરણને અટકાવવા માટે ક્યા પ્રકારના પગલાઓ લઈ શકાય તેમજ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા ટીબી પાણીજન્ય રોગચાળાને પ્રસરતી અટકાવવા માટે કામગીરી અંગે પણ વિસ્તૃત જાણકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા દ્વારા આપવામાં આવી હતી.
ખંભાળીયામાં યોજાયેલા દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિલભાઈ ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોહિલ, મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશ ભાંભી, અગ્રણી શક્તિસિંહ જાડેજા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આરોગ્ય વિભાગનો સ્ટાફ જોડાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial