Advertisement
Author: નોબત સમાચાર

આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજિક ચેરી. ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

સોનલ બીજના પાવન દિવસે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા તા. ૨૨-૧૨-૨૫ને સોમવારે આઈશ્રી સોનલમાંના જન્મોત્સવ (સોનલ બીજ)ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં ચારણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં ધો. ૧ થી ૮ માં ૮૫ ટકા કે તેથી વધુ ગુણ, ધો. ૯ થી ૧૨ માં ૭૫ ટકા કે તેથી વધુ ગુણ અને કોલેજમાં ૮૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનારા તેમજ અન્ય કોઈપણ વિશેષ પ્રવૃત્તિમાં નંબર પ્રાપ્ત કરનારને સન્માનિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટની નકલ (પોતાના મોબાઈલ નંબર સાથે) તા. ૧૨-૧૨-૨૫ સુધીમાં આઈશ્રી સોનલ મંદિર, ૪૯ દિ.પ્લોટના છેડે, જામનગરમાં પહોંચાડવાની રહેશે. વધુ વિગતો માટે પરેશભાઈ ગઢવી મો. ૯૭૧૨૫ ૭૫૫૪૫નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh