Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માળખાગત સુવિધાઓને સુદૃઢ બનાવવાનો પ્રયાસઃ
જામનગર તા. રપઃ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને સુદૃઢ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે કાલાવડ તાલુકાના બે મહત્ત્વના માર્ગોને જોડતા માર્ગના રિસર્ફેસીંગ કાર્ય માટે રૂ. ૪ કરોડ મંજુર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત બાલંભડીથી નપાણિયા ખીજડિયા સુધીના પાંચ કિલોમીટર લાંબા માર્ગના રિસર્ફેસીંગની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં ચાલુ કરી દેવામાં આવી છે.
આ અંગે માર્ગ અને મકાન વિભાગ, જામનગરના કાર્યપાલક ઈજનેર શ્રી વિજય ગૌસ્વામીએ જણાવ્યું છે કે, બાલંભડી તેમજ નપાણિયા ખીજડિયા ગામને કાલાવડ તાલુકા મથક સાથે જોડતા આ માર્ગ પરથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતોની અવરજવર રહે છે. રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહન વ્યવહારમાં થતી અગવડો દૂર કરવા માટે રાજ્ય સરકારે આ રસ્તો તાત્કાલિક ધોરણે મંજુર કર્યો છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વિભાગે આ રિસર્ફેસીંગ કાર્ય ચોક્કસ સમયમર્યાદા અને ગુણવત્તાયુક્ત માપદંડો સાથે પૂર્ણ થાય તે માટેનું આયોજન કર્યું છે.
ટૂંક સમયમાં જ આ રિસર્ફેસીંગ કામગીરી પૂર્ણ થવાથી આસપાસના ગ્રામજનોને વાહન વ્યવહારમાં ખૂબ જ અનુકૂળતા રહેશે. સરળ અને મજબૂત માર્ગ મળવાથી ખેડૂતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં પણ સરળતા થશે તેમજ સમય અને ઈંધણની બચત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial