Advertisement
Author: નોબત સમાચાર

જુનુ પેપર ફરીથી પકડાવ્યા પછી ભૂલ સમજાતા અડધા કલાકે નવું પેપર અપાયુ !

યુનિવર્સિટીએ ફરી કર્યો ભગો !

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગઈકાલે બીસીએ સેમેસ્ટર-૫માં પ્રોગ્રામીંગ ઈન પાયથોનનું પેપર ફરીથી લેવાયુ હતું. તેમાં પણ ભગો થયો હતો. અને જુનુ પેપર ધાબડી દેવાયુ હતું. આખરે ભૂલ સમજાઈ જતા તે સુધારી લેવાઈ હતી.

સૌ. યુનિ.ની સમયાંતરે બેદરકારી છતી થતી રહે છે. ગત તા. ૧૨ ના બીસીએ સેમ-૫માં પ્રોગામીંગ ઈન પાયથોન વિષયનું પેપર લેવાયુ હતું. પરંતુ તે પેપર તૈયાર કરનાર જામનગરના પ્રોફેસરે કોલેજની આંતરીક પરીક્ષા માટે તૈયાર કરેલ પેપર પધરાવી દેતા તા. ૧૨ની બે પરીક્ષા રદ કરવામાં આવી હતી. અને ગત તા. ૨૨ના આ પેપર ફરીથી લેવાયુ હતું. પરંતુ જે પેપર તા. ૧૨ના અપાયુ હતુ તે જ પેપર તા. ૨૨ના ધાબડી દેવાયુ હતું. અડધો કલાક બગડયા પછી તંત્ર એ ભૂલ સુધારી નવુ પેપર આપ્યુ હતું.

જો વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાય તો તેને સજા થાય છે. પરંતુ પ્રોફેસરો ભગા કરે તો કેમ પગલા લેવાતા નથી ? તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh