Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બચુનગર વિસ્તારમાં પુનઃ દબાણ થતા એસ્ટેટ શાખાએ ગેરકાયદેસ બાંધકામ તોડી પાડ્યું

મ્યુનિ. કમિશનરની સીધી દેખરેખ હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગરના બચુનગર વિસ્તારમાં ફરી એક વખત દબાણ શરૂ થતા આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ દબાણ દૂર કર્યા હતાં. આ સમયે ખુદ કમિશનરે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા થોડા માસ પહેલા બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલીશન કરવામાં આવ્યું હતું, જેમાં એક મસમોટા ફાર્મ હાઉસ તથા એક દરગાહના બાંધકામનો પણ સમાવેશ થાય છે. જે તે સમયે પાડતોડ કરીને જગ્યા ખુલ્લી કરાવાઈ હતી એ સ્થળોએ પુનઃ દબાણ શરૂ થયા હોવાનું તંત્રને ધ્યાનમાં આવતા આજે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી આજે સવારે બચુનગરમાં દબાણવાળી જગ્યામાં પહોંચ્યા હતાં અને સ્થળ નિરીક્ષણ કર્યા પછી તેમની સૂચના મુજબ એસ્ટેટ શાખાની ટૂકડીએ ડિમોલીશન કામગીરી હાથ ધરી હતી.

ફાર્મ હાઉસનું અગાઉ બાંધકામ તોડી પાડ્યા પછી એ જ સ્થળે ફરી વખત ઘોડાનો તબેલો ખડકી દેવાયો હતો અને ત્યાં ઘોડા બાંધ્યા હોવાનું નજરે ચઢ્યું હતું. તેમજ અમુક જગ્યામાં વૃક્ષા ઉગાડવામાં આવ્યા હતાં. એ ઉપરાંત અગાઉ એક મસમોટી-લકઝરી દરગાહનું બાંધકામ પણ તોડી પડાયું હતું. ત્યાં પણ ધૂપ-લોબાન શરૂ કરીને દબાણના પ્રયાસો શરૂ થયા હતાં ત્યાં પણ દબાણ દૂર કરી આજે જગ્યા ખાલી કરાવાઈ હતી.

આ કામગીરી સમયે આસી. કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની, કેતન કટેશિયા, ગોસાઈભાઈ, એસ્ટેટ શાખાની ટીમના અનવર ગુજજણ સહિતનાઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh