Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરતા ૯ બાળકો સહિત ૧૦ લોકોના મોત

તાલીબાની નેતાએ સોશિયલ મીડિયામાં તસ્વીરો મૂકી

                                                                                                                                                                                                      

કાબુલ તા. ૨૫: અફઘાનિસ્તાન પર પાકિસ્તાને એરસ્ટ્રાઈક કરતા ૯ બાળકો સહિત ૧૦ના મોત થયા હોવાનું જાણવા મળે છે.

અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પરિણામે સરહદ પર ફરીથી તંગદિલી વધી છે. અફઘાન તાલિબાનના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહિદે માહિતી આપી હતી કે મોડી રાત્રે પાકિસ્તાની સેનાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૯ બાળકો અને ૧ મહિલા સહિત કુલ ૧૦ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ૫ છોકરાઓ અને ૪ છોકરીઓનો સમાવેશ થાય છે.

મુજાહિદના જણાવ્યા મુજબ, આ હુમલો રાત્રે ૧૨ વાગ્યે ગેરબઝવો જિલ્લામાં સ્થાનિક નિવાસી વિલાયત ખાનના ઘર પર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું આખું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું. તાલિબાની નેતા જબિહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ ખોસ્ત સિવાય કુનર અને પક્તિકા પ્રાંતોમાં પણ હવાઈ હુમલા કર્યા હતા, જેના પરિણામે ૪ નાગરિકો ઘાયલ થયા છે.

આ ઘટના સાથે સંબંધિત તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કરી હતી, જેમાં ધ્વસ્ત થયેલા ઘરનો કાટમાળ અને મૃત બાળકોના મૃતદેહો સ્પષ્ટપણે દેખાય છે.

આ ઘટના અંગે પાકિસ્તાનની સેના કે વિદેશ મંત્રાલય તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી. આ બોમ્બમારો એવા સંજોગોમાં થયો છે જ્યારે એક દિવસ પહેલાં જ પાકિસ્તાનના પેશાવરમાં બે આત્મઘાતી હુમલા થયા હતા, જેમાં ત્રણ અર્ધસૈનિક કર્મચારીઓનાં મોત નીપજ્યાં હતાં. પાકિસ્તાની અધિકારીઓએ આ હુમલાઓ માટે અફઘાન સરહદની અંદર છુપાયેલા હોવાનો આરોપ મૂકાયેલા આતંકવાદી તત્ત્વોને જવાબદાર ગણાવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને દેશો વચ્ચેનો તણાવ સતત વધ્યો છે. ઓક્ટોબરમાં પાકિસ્તાની અને અફઘાન સૈનિકો વચ્ચે થયેલી અથડામણોમાં ડઝનબંધ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા વાપસી પછી આ સંઘર્ષને સૌથી ગંભીર માનવામાં આવ્યો હતો.

જોકે, ત્યારબાદ દોહામાં બંને પક્ષો દ્વારા યુદ્ધવિરામ (સીઝફાયર) કરાર થયો હતો, પરંતુ તૂર્કિયેમાં આયોજિત શાંતિ વાર્તા કોઈ કાયમી ઉકેલ લાવ્યા વિના સમાપ્ત થઈ ગઈ હતી. આ તણાવનું મુખ્ય કારણ પાકિસ્તાનની તે અપેક્ષા માનવામાં આવે છે, જેમાં તેણે અફઘાનિસ્તાનમાં સક્રિય પાકિસ્તાન-વિરોધી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ખોસ્તમાં થયેલા આ તાજેતરના બોમ્બમારાથી આ વિસ્તારમાં વસતા નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા જન્મી છે. સ્થાનિક પ્રશાસને ખાતરી આપી છે કે હોસ્પિટલમાં દાખલ ઘાયલોની હાલત સ્થિર છે, તેમ છતાં સરહદી વિસ્તારમાં તણાવ વધવાની શક્યતા હજી પણ યથાવત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh