Advertisement
Author: નોબત સમાચાર

પતિના અવસાન પછી ગુમસુમ રહેતા પ્રૌઢાએ ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

નગરમાં યુવાને અકળ કારણથી કરી આત્મહત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: કાલાવડના ટોડા ગામમાં રહેતા એક પ્રૌઢાએ પતિના અવસાન પછી આઘાત લાગી આવતા તેઓ ગુમસુમ બની ગયા હતા. તે દરમિયાન ગઈકાલે સવારે આ પ્રૌઢાએ પોતાના ઘરમાં સાડી વડે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે જામનગરના માધવ બાગ નજીક કોપર સિટીમાં રહેતા એક યુવાને અકળ કારણથી ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના ટોડા ગામમાં વસવાટ કરતા ઉષાબા રામદેવસિંહ જાડેજા (ઉ.વ.૬૨) નામના પ્રૌઢાએ ગઈકાલે સવારે પોતાના ઘરમાં એક ઓરડાની દીવાલમાં ખોડવામાં આવેલા અભેરાઈના ખીલામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બનાવની તેમના પુત્ર હરપાલસિંહને જાણ થતાં તેઓએ માતાને નીચે ઉતારી સારવાર માટે કાલાવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી ઉષાબાને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે હરપાલસિંહનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેમના પિતાનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું. ત્યારપછી તેમના માતા ગુમસુમ રહેતા હતા અને ત્યારપછી ગઈકાલે તેઓએ ગળાફાંસો ખાઈ લીધો છે.

જામનગરના ગોકુલનગરથી આગળ આવેલા માધવ બાગ નજીક કોપર સિટીમાં વસવાટ કરતા યોગેશભાઈ બળવંતરાય ભોગાયતા નામના ચોત્રીસ વર્ષના વિપ્ર યુવાને રવિવારે સવારે પોતાના ઘરે કોઈ અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી પંખામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યાનું તેમના પત્ની નેહલબેને પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh