Advertisement
Author: નોબત સમાચાર

મેડિક્લેઈમ અંગે વળતર ન ચૂકવનાર વીમા કંપનીને વ્યાજ સાથે વળતરનો આદેશ

ત્રાસ બદલ વળતર, ફરિયાદ ખર્ચ પણ ચૂકવવા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના એક આસામીએ મેડિક્લેઈમ મેળવ્યા પછી તેમની પત્નીની સારવારનો ખર્ચ વીમા કંપનીએ ન ચૂકવતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવાનો હુકમ કર્યાે છે.

જામનગરના વિજયભાઈ બાબુભાઈ ૫ટેલ નામના આસામીએ સ્ટાર હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી ગયા વર્ષે મેડીક્લેઈમ મેળવ્યા પછી વિજયભાઈના પત્નીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ૃરૂ.૧,૫૬,૩૬૯ નો ખર્ચ થયો હતો.

તે અંગેના તમામ બીલ, સારવારના કાગળ વીમા કંપનીને આપવામાં આવ્યા હતા અને વળતર માટે જણાવાયું હતું. વીમા કંપનીએ વળતર ન ચૂકવતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૧,૫૬,૩૬૯ ની રકમ પર નવ ટકા વ્યાજ ગણી ચૂકવી આપવા તથા ત્રાસ અને ફરિયાદ ખર્ચ પેટે રૂ.પ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh