Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૫ લાખ દંડ પેટે ભરવા હુકમઃ
જામનગર તા. ૨૫: જામનગરના એક આસામીને રૂ.પ લાખના ચેક પરતના કેસમાં અદાલતે બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના નરેન્દ્રભાઈ નાગજીભાઈ કામળીયા નામના આસામી પાસેથી રૂ.પ લાખ કલ્પેશ જયંતિભાઈ વાલંભીયાએ હાથઉછીના મેળવી તે રકમની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક પરત ફર્યાની નરેન્દ્રભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપી કલ્પેશ જયંતિભાઈ વાલંભીયાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને રૂ.પ લાખનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ બે મહિનાની કેદની સજા ફરમાવાઈ છે. ફરિયાદી તરફથી વકીલ કિશોર ચૌહાણ, મયુર પંડયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial