Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૂવામાં ખાબકી જતાં વૃદ્ધ પર કાળનો પંજોઃ
જામનગર તા. ૧૨: કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના એક મહિલાને ઢોરને પાણી પીવડાવવાની બાબતે બોલાચાલી થયા પછી તેઓએ ઝેરી ટીકડા ગળી લઈ આત્મહત્યા કરી લીધી છે. કલ્યાણપુરના જ વીરપુરના એક વૃદ્ધ કોઈ રીતે કૂવામાં પડી ગયા પછી મોતને શરણ થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં રહેતા લીલાબેન સંજયભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦) નામના મહિલાએ રવિવારે સવારે પોતાના ઘર પાસે આવેલા તબેલા નજીક જઈ કોઈ ઝેરી ટીકડા ગળી લીધા હતા.
સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા લીલાબેનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. જીવણભાઈ લખુભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે. તેઓએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં ખૂલ્યા મુજબ લીલાબેન તથા જીવણભાઈના માતા વચ્ચે ઢોરને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થયા પછી તેનું માઠું લાગી આવતા લીલાબેને ઉપરોક્ત પગલું ભર્યું હતું. પોલીસે નિવેદન પરથી તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના વીરપુર ગામના બોઘાભાઈ જગુભાઈ મકવાણા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ રવિવારે સવારે પોતાના ખેતરે કૂવામાં કોઈ રીતે ખાબકી જતાં તેઓને બહાર કાઢી સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું પુત્ર રામભાઈ મકવાણાએ પોલીસને જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial