Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર હજાર કેસ રજૂ કરવામાં આવશેઃ
ખંભાળિયા તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા મહિને લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યંુ છે. સમાધાન લાયક હોય તેવા ચાર હજાર જેટલા કેસ તેમાં મુકવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૧૨-૭-૨૫ના જાહેર રજાના દિવસે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોકઅદાલતના માધ્યમથી ઝડપી ન્યાયીક નિવારણ લાવવા દ્વારકા જિલ્લા ન્યાયાધીશ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પ્રમુખ એસ.વી. વ્યાસે અપીલ કરી છે.
આગામી તા.૧૨-૭ના દિને ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર તાલુકામાં વર્ષ ૨૦૨૫ની દ્વિતીય રાષ્ટ્રીય લોકઅદાલત તથા સ્પેશિયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગ યોજાશે. ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સત્તામંડળ દિલ્હી, રાજ્ય કાનૂની સત્તામંડળ ગુજરાત તથા ગુજરાતના ચીફ જસ્ટિસ સુજાતા અગ્રવાલ, સિનિયર મોસ્ટ જસ્ટિસ અલ્પેશ કોગજે, દ્વારકા એડ મિનિસ્ટ્રેશન જસ્ટિસ એલ.એસ. પીરજાદા તથા રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદીના માર્ગદર્શનમાં દ્વારકા જિલ્લા ન્યાયાધીશ એસ.વી. વ્યાસના માર્ગદર્શનમાં લોકઅદાલતનું આયોજન થયું છે.
આ લોકઅદાલતોમાં સમાધાનલાયક સિવિલ તથા ફોજદારી કેસો, દીવાની કેસ, મોટર અકસ્માત વળતર કેસ, લગ્ન વિષયક તકરારો, વીજ કંપની કેસ, ગ્રાહક સેવા તકરારો, પબ્લિક યુટીલીટી સર્વિસના કેસ સહિતના ૪ હજારથી વધુ કેસ નિકાલની આશા સાથે મુકવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial