Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મામલદારને આવેદનપત્ર પાઠવી રજૂઆતઃ
લાલપુર તા. ૧રઃ લાલપુરના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સંચાલક મહાસંઘના તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખે મામલતદારને આવેદનપત્ર પાઠવી સસ્તા અનાજના દુકાનદારોને ત્રણ મહિનાનું કમિશન ચૂકવવા રજૂઆત કરી છે. આ દુકાનદારોએ એપ્રિલ-મે અને જૂન એમ ત્રણ મહિનાનો અનાજનો જથ્થો રાશનકાર્ડ ધારકોને વિતરણ કર્યો છે, પણ આ ત્રણ મહિનાનું કમિશન મળ્યું નથી. જેના કારણે આગામી મહિનાના ચલણના રૂપિયા ભરવામાં મુશ્કેલી થઈ છે, તેમ છતાં તંત્ર દ્વારા નાણા ભરી જવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી કમિશન નહીં ચૂકવાય ત્યાં સુધી ચલણ ભરવાના નાણા નથી.
આ ઉપરાંત છેલ્લા બે મહિનાથી પોર્ટેબિલિટી પરમીટ માટે રજૂઆતો કરવા છતાં ખૂબ વિલંબથી કામ થાય છે. સમયસર પરમીટ નહીં મળવાથી રાશનકાર્ડ ધારકો અનાજથી વંચિત રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial