Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃત્યુ નિપજતા પોલીસને જાણ કરાઈઃ
જામનગર તા. ૧૨: કાલાવડના કૃષ્ણપુર ગામમાં પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા ગયેલા પ્રૌઢાને સ્ટાર્ટરમાંથી વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામમાં રહેતા ગંગાબેન ભોજાભાઈ શેઠીયા (ઉ.વ.પપ) નામના પ્રૌઢા ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા.
આ વેળાએ તેઓને સ્ટાર્ટરમાંથી કોઈ રીતે વીજ આંચકો લાગતા તેઓ બેભાન બની ઢળી પડ્યા હતા. સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ગંગાબેનને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. ભોજાભાઈ ગોવિંદભાઈ શેઠીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial