Advertisement
Author: નોબત સમાચાર

પાણીની મોટર ચાલુ કરતી વેળાએ સ્ટાર્ટરમાંથી પ્રૌઢાને વીજ આંચકો

મૃત્યુ નિપજતા પોલીસને જાણ કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: કાલાવડના કૃષ્ણપુર ગામમાં પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા ગયેલા પ્રૌઢાને સ્ટાર્ટરમાંથી વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામમાં રહેતા ગંગાબેન ભોજાભાઈ શેઠીયા (ઉ.વ.પપ) નામના પ્રૌઢા ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા.

આ વેળાએ તેઓને સ્ટાર્ટરમાંથી કોઈ રીતે વીજ આંચકો લાગતા તેઓ બેભાન બની ઢળી પડ્યા હતા. સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ગંગાબેનને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. ભોજાભાઈ ગોવિંદભાઈ શેઠીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh