Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા ટોલનાકા પર લાઈન બદલવાના પ્રશ્ને રિક્ષાચાલક પર હોમગાર્ડઝ સહિત બેનો હલ્લો

હોમગાર્ડઝ જવાને લાકડી ફટકારી ધમકી આપીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના એક રિક્ષાચાલક રવિવારે ખંભાળિયાથી રિક્ષા લઈને જામનગર આવતા હતા ત્યારે ખંભાળિયા પાસે ટોલનાકા પર એક હોમગાર્ડઝ જવાને ગેરવર્તન કર્યા પછી લાકડીથી હુમલો કર્યાે હતો અને તેના સાગરિતે ઢીકાપાટુથી માર માર્યાે હતો. પોલીસે હોમગાર્ડઝ જવાનની ધરપકડ કરી છે.

જામનગરના ગુલાબનગરમાં અખાડા ચોકમાં રહેતા અને રિક્ષા ચલાવતા આરીફ ફકીરમામદ સમા રવિવારે સાંજે ખંભાળિયા રિક્ષા લઈને આવ્યા હતા.

ત્યાંથી પરત જવા માટે જ્યારે આરીફ સમા રવાના થયા ત્યારે સાંજે સાડા છએક વાગ્યે ખંભાળિયા પાસે ટોલનાકા પર તેઓએ લાઈન બદલાવી હતી. આ વેળાએ હોમગાર્ડઝ જવાન ઝાખર ગામના મહેન્દ્ર હેમતસિંહ ગોહિલે ખરાબ વર્તન કર્યું હતું. તેને પ્રેમથી વાત કરવાનું કહેતા ઉશ્કેરાયેલા મહેન્દ્ર ગોહિલ તથા રામ ગઢવી નામના બે શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો અને મહેન્દ્રએ લાકડીથી માર માર્યાે હતો. ખંભાળિયા પોલીસ મથકમાં આરીફે નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે હોમગાર્ડ જવાન મહેન્દ્ર ગોહિલની ધરપકડ કરી છે અને રામ ગઢવીના સગડ દબાવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh