Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રકૃતિ, સ્વાસ્થ્ય અને યોગનો ત્રિવેણી સંગમઃ ર૦૦ જેટલા સહભાગીઓએ કર્યા યોગા
આયુષ મંત્રાલય ભારત સરકારના જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન જામનગર દ્વારા પ્રખ્યાત રામસર સાઈટ એવા ખીજડીયા પક્ષી અભયારણમાં આજે તા. ૧ર જૂનના સવારે ૭-૩૦ થી ૮-૪પ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સત્કારવા તેમજ પ્રકૃતિ વચ્ચે યોગ થકી સ્વાસ્થ્ય સક્ષમ બનાવવાના હેતુસર વિવિધ યોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શનમાં ઈટ્રાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરી, મેરિન નેશનલ પાર્કના ડેપ્યુટી કંઝરવેટરી ઓફ ફોરેસ્ટ પ્રસાદ રવિ રાધા કૃષ્ણન, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયા સહિત ઈટ્રા શૈક્ષણિક-બીન શૈક્ષણિક સ્ટાફ, ડીન તેમજ વિદ્યાર્થીઓ અને સ્વસ્થવૃત્ત-યોગ વિભાગના કર્મચારીઓ સહિત ર૦૦ સહભાગીઓએ ભાગ લઈ અભયારણનું વાતાવરણ યોગમય બનાવ્યું હતું. વર્ષ ર૦રપ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને દસ વર્ષ થનાર છે, ત્યારે સમગ્ર દુનિયામાં અભૂતપૂર્વ ઉત્સાહ અને યોગ પ્રત્યે લોકોની ઉત્સુક્તા અને જાગૃતિ વધી રહી છે. આ તકે વિશ્વ વિખ્યાત એવા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં થયેલું યોગ નિદર્શન લોકોને વધુ યોગમય બનવા પ્રેરિત કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial