Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાની ર૬૬ માંથી ૮૭ ગ્રામ પંચાયત બિનહરિફ

બાકીની ગ્રામ પંચાયતોમાં રર મી જૂને મતદાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગર તાલુકાને ર૬૬ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૮૭ ગ્રામ પંચાયત બિનહરિફ જાહેર થઈ છે. બાકીની ગ્રામ પંચાયત માટે રર જૂને મતદાન થશે.

જામનગર જિલ્લામાં આગામી રર મી તારીખે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થનાર છે. ગઈકાલે ૧૧ મી જૂને ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો. ફોર્મ પરત ખેંચાયા પછી ક્યા તાલુકામાં સરપંચપદ માટેના અને સભ્યપદ માટેના કેટલા ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે તેનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે.

જામનગર જિલ્લાની કુલ ર૬૬ ગ્રામ પંચાયતોમાં આગામી રર જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ ર૬૬ પૈકી ૮૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની બિનહરિફ વરણી થઈ શકી છે. બાકીની પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે.

જામનગર તાલુકામાં કુલ ૬પ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે, જે પૈકી ર૦ સરપંચ-બિનહરિફ જાહેર થયા છે. કાલાવડ તાલુકાની ૭ર પંચાયત પૈકી રપ પંચાયતમાં સરપંચ બિનહરિફ અને સાથે સભ્ય પણ બિનહરિફ જાહેર થયા.

લાલપુર  તાલુકાની ૪૭ પંચાયત પૈકી ૧૧ પંચાયતોમાં સરપંચ-સભ્ય બિનહરિફ થયા છે. જામજોધપુર તાલુકાની ૩૪ પંચાયતો પૈકી ૧૦ ગ્રામ પંચાયત સમરસ બની છે. ધ્રોળની ર૪ માંથી ૧ર અને જોડિયાની ર૪ માંથી ૯ પંચાયતોમાં બિનહરિફ જાહેર થઈ છે.

જિલ્લાની સ્થિતિ જોઈએ તો કુલ પંચાયત ર૬૬ માંથી સરપંચ બિનહરિફ જાહેર થયા હોય એવી પંચાયત ૮૬, કુલ ૧૧૮૮ સભ્ય બિનહરિફ થયા છે, જ્યારે સરપંચપદ માટે ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવાર ૪૦૭ અને સભ્યપદ માટે હજુ ૧૮૯૩ ઉમેદવાર મેદાનમાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh