Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ બાતમીના આધારે પકડી પાડ્યોઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક શખ્સને ચેક પરતના કેસમાં સજા થયા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને એસઓજીએ નાઘેડી પાટીયા પાસેથી દબોચી લીધો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮ નજીક જે.જે. ટાવરમાં રહેતા ભાર્ગવ જગદીશભાઈ પારેખ નામના શખ્સ સામે અદાલતમાં ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ભાર્ગવ પારેખને છ મહિનાની કેદ ફટકારી હતી.
સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હતો. તેની સામે સજાનું વોરંટ કાઢવામાં આવ્યું હતું. તે પછી આરોપી ઝડપાયો ન હતો. આ શખ્સ જામનગર-ખંભાળિયા રોડ પર નાઘેડી ગામના પાટીયા પાસે આવ્યો હોવાની બાતમી પરથી ધસી ગયેલી એસઓજી ટીમે ત્યાંથી ભાર્ગવ પારેખને દબોચી લીધો છે અને તેનો કબજો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial