Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયર બ્રિગેડ ઘટના સ્થળેઃ લંડન જતી ફ્લાઈટ એરપોર્ટની દિવાલ સાથે અથડાતા દુર્ઘટના
અમદાવાદ તા. ૧રઃ અમદાવાદના ગુજસેલ એરપોર્ટ પર ટેક ઓફ વખતે અમદાવાદ-લંડનની એર ઈન્ડિયા ફ્લાઈટ ટેક ઓફ થતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી અને સંભવતઃ દિવાલ સાથે અથડાઈને વિમાન મેઘાણીનગર નજીક આઈજીપી ગ્રાઉન્ડમાં ક્રેશ થયું હોવાનું જાણવા મળે છે. આ પ્લેનમાં રપ૦ મુસાફરો સવાર હતાં. રાહત-બચાવની કામગીરી શરૂ થઈ ગઈ છે. બપોરે બે વાગ્યાના સુમારે આવી રહેલા મીડિયા અહેવાલો મુજબ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો તત્કાળ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલે લઈ જવામાં આવી રહ્યાં છે. એરપોર્ટની આજુબાજુના રસ્તા બંધ કરી દેવામાં આવ્યાનું મીડિયા અહેવાલો મુજબ ૧૭૧-એર ઈન્ડિયા બોઈંગ બપોરે ૧.૩૮ વાગ્યે ટેક ઓફ થયું હતું. ૧.૪૦ વાગ્યે ક્રેશ થયું હતું. આ પ્લેનમાં પેસેન્જરો તથા કાર્ગાે પણ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial