Advertisement
Author: નોબત સમાચાર

હત્યાના ગુન્હામાં વચગાળાના જામીન મેળવી સાત વર્ષથી ફરાર આરોપી ઝબ્બે

ફરીથી જેલમાં ધકેલતી પેરોલ ફર્લો સ્કવોડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરમાં નવ વર્ષ પહેલાં થયેલી એક હત્યાના આરોપીને કાચા કામના કેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આ શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે કચ્છના મુંદ્રામાંથી પકડી લીધો છે.

જામનગર શહેરમાં વર્ષ ૨૦૧૬માં હત્યાનો એક બનાવ બન્યો હતો. જેની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા આઈપીસી કલમ ૩૦૨, ૧૨૦ (બી), આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી પોલીસે સરૂ સેક્શન રોડથી પંચવટી તરફના રસ્તામાં ગૌશાળા પાસે રહેતા ઈમરાન દાઉદ રાજાણી નામના શખ્સની ધરપકડ કરી હતી.

ત્યારપછી જેલહવાલે થયેલા આરોપી ઈમરાન દાઉદે વર્ષ ૨૦૧૮ના ઓક્ટોબર મહિનામાં હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા. તેની મુદ્દત તા.૨૧-૧૦-૧૮ના દિને પૂર્ણ થતાં તેણે જામનગરની જેલમાં હાજર થઈ જવાનું હતું પરંતુ આ શખ્સ હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો.

ઉપરોક્ત આરોપી હાલમાં કચ્છના મુંદ્રામાં રહેતો હોવાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલી પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને પકડી પાડ્યો છે અને જેલમાં ધકેલી દીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh