Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાતેલ ગ્રામ પંચાયતે સતત ત્રીજી વખત બીનહરિફ થઈને હેટ્રીક નોંધાવી
ખંભાળિયા તા. ૧૨: ખંભાળિયા તાલુકાના ગામોની ચૂંટણીઓ જાહેર થઈ હતી. જેમાં રાજ૫ૂત સમાજના ગામ ગણાતા ભાતેલમાં સતત ત્રીજી ટર્મ બીનહરીફ ચૂંટણી થઈ અને સમરસ ગામ બન્યું છે. દશ વર્ષથી અહીં ચૂંટણી થઈ નથી.
આ વખતે સરપંચ તરીકે મહાવીરસિંહ જામભા જાડેજા તથા તેમની પેનલ પ્રદીપસિંહ અજીતસિંહ, સંજય ભીખુભાઈ, કિરીટસિંહ હરીસિંહ, રમેશભાઈ કરસનભાઈ, હિતેન્દ્રસિંહ બચુભા, સુખદેવસિંહ બટુકસિંહ સહિત આખી ટીમ બીનહરીફ થઈ હતી.
ઉલ્લેખનિય છે કે પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા તથા પૂર્વ જિ.પં. પ્રમુખ પી.એસ. જાડેજાના વતન ભાતેલમાં અગાઉ ચૂંટણી થતી ત્યારે પણ જેવું પરિણામ જાહેર થાય કે તુરત વિજેતા ઉમેદવાર હારેલા ઉમેદવારના ઘેર સામૂહિક આગેવાનો સાથે ચા પીવા જઈને નવી શરૂઆત કરતા હતા.
ઉગમણા બારા ગ્રામ પંચાયત પણ સમરસ
ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગ્રામ પંચાયત જે રાજપૂત સમાજનું ગામ છે તે પણ બિનહરીફ થઈ હતી. બીનહરીફ સરપંચ તરીકે યુવાન તથા ગ્રેજ્યુએટ કુલદિપસિંહ બટુકસિંહ ચાવડા આવ્યા હતાં.
ખંભાળિયા તાલુકામાં ભાતેલ તથા ઉગમણા બારા સહિત ચાર ગ્રામ પંચાયતોમાં ચાર સરપંચો તથા ૩૭ સદસ્યો બીનહરીફ થયા છે જેથી બાકીની ૧૪ ગ્રામ પંચાયતોમાં ૨૫ સરપંચ પદ માટે તથા ૧૨૩ સદસ્યો માટે ચૂંટણી યોજાશે. પાંચ સરપંચો તથા ૧૦ સદસ્યોની યોજાનાર પેટા ચૂંટણીઓમાં પણ ત્રણ બીનહરીફ સરપંચ પદ માટે તથા સાત સદસ્યો બીનહરીફ થતાં બાકીના બે સરપંચ તથા ત્રણ સભ્યોની ચૂંટણી યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial